ટંકારાનાઘુનડા (સ)ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો10,300 ની રોકડસાથે પકડાયાજીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા. 25ટંકારાતાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાંજાહેરમાં જુગાર રમતા હોવાનીહકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડકરી હતી ત્યારે સ્થળઉપરથી છ શખ્સો જુગ વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ


SHARE











 

વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ

વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વાંકાનેર તાલુકા પેન્શનર અને સિનીયર સીટીજન સમાજે વિરોધ નોંધાવી આ અંગે રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

 આ અંગે વાંકાનેર તાલુકા પેન્શનર અને સીનીયર સીટીજન સમાજના હોદેદારોએ જણાવ્યું છે કે વાંકાનેર તાલુકા પેટા તિજોરીમાં બેંક ઓફ બરોડા બેંકની બે શાખાના 355, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની બે શાખાના 686 તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા તીથવાના 34 પેન્શનરો મળી 1075 પેન્શનરોનું વહીવટી કામ છે.

આ તમામ પેન્શનરો, સુપર પેન્શનરો (80 વર્ષ ઉપરના) તથા ફેમીલી પેન્શનરો (પેન્શનરનું અવસાન થતા કુટુંબના સભ્યો)ને કોઈપણ પ્રકારના નાના કામ માટે પણ 30 કી.મી. દુર જીલ્લા તિજોરી કચેરી મોરબી મુકામે જવું પડે તે ઉમરના સંદર્ભમાં મુશ્કેલ છે.બેંક, સરકારી કચેરીઓ, પીજીવીસીએલ વિગેરે કચેરીઓમાં એગ્રીમેન્ટ માટેની એધેસીવ સ્ટેમ્પ મેળવવાના રોજીંદા કામમાં પ્રજાજનોને જીલ્લા તિજોરી કચેરી મોરબી જવાનું ખુબજ કપરૂ બનશે. સરકારી કચેરીઓ જેવી કે નગરપાલિકા, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પાણી પુરવઠા, ખેતીવાડી કચેરી, સીવીલ હોસ્પિટલ, સીવીલ કોર્ટ વિગેરે જેવી વિવિધ સરકારી વિભાગોને વહીવટી બીલોની પ્રક્રિયા સરળમાંથી કઠીન બનશે.

 પુખ્ત વિચારણાને અંતે સરકારે આ નિર્ણય કરેલ છે તે સમજી શકાય છે. પરંતુ સીનીયર સીટીઝન પ્રત્યેની સરકારની હકારાત્મક નીતિના પરિણામે આરોગ્ય ક્ષેત્રે મફત સારવાર સુવિધા, મુસાફરીમાં કન્સેશન, પવિત્ર ધાર્મિક યાત્રામાં વિશેષ સવલતો આપવાની માનવીય અભિગમની હકારાત્મક નીતિ અમલમાં મુકેલ છે ત્યારે તિજોરી કચેરી બંધ કરવાનો નિર્ણય સવિશેષ સીનીયર તથા સુપર સીનીયર સીટીઝનોને જ નકારાત્મક અસરકર્તા હોઈ આ બાબતે ફેર વિચારણા કરી આ કચેરીને ચાલુ રાખવા માંગણી કરી છે






Latest News