વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ


SHARE











 

વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ

વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વાંકાનેર તાલુકા પેન્શનર અને સિનીયર સીટીજન સમાજે વિરોધ નોંધાવી આ અંગે રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

 આ અંગે વાંકાનેર તાલુકા પેન્શનર અને સીનીયર સીટીજન સમાજના હોદેદારોએ જણાવ્યું છે કે વાંકાનેર તાલુકા પેટા તિજોરીમાં બેંક ઓફ બરોડા બેંકની બે શાખાના 355, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની બે શાખાના 686 તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા તીથવાના 34 પેન્શનરો મળી 1075 પેન્શનરોનું વહીવટી કામ છે.

આ તમામ પેન્શનરો, સુપર પેન્શનરો (80 વર્ષ ઉપરના) તથા ફેમીલી પેન્શનરો (પેન્શનરનું અવસાન થતા કુટુંબના સભ્યો)ને કોઈપણ પ્રકારના નાના કામ માટે પણ 30 કી.મી. દુર જીલ્લા તિજોરી કચેરી મોરબી મુકામે જવું પડે તે ઉમરના સંદર્ભમાં મુશ્કેલ છે.બેંક, સરકારી કચેરીઓ, પીજીવીસીએલ વિગેરે કચેરીઓમાં એગ્રીમેન્ટ માટેની એધેસીવ સ્ટેમ્પ મેળવવાના રોજીંદા કામમાં પ્રજાજનોને જીલ્લા તિજોરી કચેરી મોરબી જવાનું ખુબજ કપરૂ બનશે. સરકારી કચેરીઓ જેવી કે નગરપાલિકા, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પાણી પુરવઠા, ખેતીવાડી કચેરી, સીવીલ હોસ્પિટલ, સીવીલ કોર્ટ વિગેરે જેવી વિવિધ સરકારી વિભાગોને વહીવટી બીલોની પ્રક્રિયા સરળમાંથી કઠીન બનશે.

 પુખ્ત વિચારણાને અંતે સરકારે આ નિર્ણય કરેલ છે તે સમજી શકાય છે. પરંતુ સીનીયર સીટીઝન પ્રત્યેની સરકારની હકારાત્મક નીતિના પરિણામે આરોગ્ય ક્ષેત્રે મફત સારવાર સુવિધા, મુસાફરીમાં કન્સેશન, પવિત્ર ધાર્મિક યાત્રામાં વિશેષ સવલતો આપવાની માનવીય અભિગમની હકારાત્મક નીતિ અમલમાં મુકેલ છે ત્યારે તિજોરી કચેરી બંધ કરવાનો નિર્ણય સવિશેષ સીનીયર તથા સુપર સીનીયર સીટીઝનોને જ નકારાત્મક અસરકર્તા હોઈ આ બાબતે ફેર વિચારણા કરી આ કચેરીને ચાલુ રાખવા માંગણી કરી છે






Latest News