મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ સરકારી સ્કૂલમાં કલર કામ ચાલુ હતું ત્યારે કોઈપણ કારણોસર યુવાન ત્રીજા માળેથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું. જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવાની મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં રહેતા આદમભાઈ યુસુફભાઈ શેખ (40) મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સરકારી સ્કૂલમાં કલર કામ કરતા હતા ત્યારે કોઈપણ કારણોસર તે ત્રીજા માળ ઉપરથી નીચે પડતા તેને શરીરે ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવની તપાસ કરી રહેલ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાન શાળામાં કલર કામ કરી રહ્યો હતો દરમિયાન ઉંચાઈ ઉપરથી નીચે પટકાવવાના કારણે તેનું મોત નીપજ્યું હતું આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News