જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનાની લેબર કોલોની પાસે લપસી જવાથી પડી ગયેલ આધેડનું મોત


SHARE











વાંકાનેરના રાતાવિડા પાસે કારખાનાની લેબર કોલોની પાસે લપસી જવાથી પડી ગયેલ આધેડનું મોત

વાંકાનેરના રાતાવિડા ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા આધેડ બાથરૂમ કરવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે પગ લપસતા પડી જવાના કારણે માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં લોનિક્સ સીરામીક કારખાનાની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા જગન્નાથ રૂહયા ડોલમ (51) નામના આધેડ લેબર કોલોનીની બાજુમાં બાથરૂમ કરવા માટે થઈને જતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતાં તે નીચે પડી ગયા હતા જેથી તેને માથાની પાછળના ભાગમાં ઈજા થઈ હતી અને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની સુનારામ સોમનાથસિંગ (37) રહે. હાલ લોનિક્સ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રાતવીરડા મૂળ રહે ઓરિસ્સા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર સતનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં રહેતો પરશુરામ રૂખડિયાભાઈ સોલંકી (17) નામનો તરુણ મોરબીના પીપળી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં અમરીશભાઈ ભલાભાઇ (35) રહે. નવાગામ અને જગદીશભાઈ વસ્તાભાઇ (20) નામના બે યુવાનોને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી.






Latest News