વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજના પધ્ધર ગામે  સેવા કેમ્પનું આયોજન


SHARE











મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજના પધ્ધર ગામે  સેવા કેમ્પનું આયોજન

મોરબીના ગ્રીનચોક આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન 16 સપ્ટેમ્બર, 2025 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન કરવામાં આવશે. આ સેવા કેમ્પ ભુજથી 13 કિલોમીટર દૂર, દુધઈ રોડ પર, કંઢેરાયના પાટીયા પાસે, પધ્ધર ગામ નજીક રાખવામાં આવ્યો છે.

આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ચા-નાસ્તો, અને 24 કલાક મેડિકલ સુવિધા જેવી સગવડો પૂરી પાડવામાં આવશે. આ મંડળ છેલ્લા 23 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યું છે, જેમાં આઠ વર્ષ વાહનો દ્વારા અને છેલ્લા 15 વર્ષથી આ સ્થાયી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આશાપુરા મિત્ર મંડળ, ગ્રીન ચોક દ્વારા માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભડીયા (99130 52330), પ્રફુલભાઈ પાટડીયા (98792 71793) મનુભાઈ બરાસરા (મનુકાકા) (98791 75277), હિમાંશુ પારેખ (81609 57930), પારસ પટેલ (98981 52867) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News