વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીમાં પ્રેમ સબંધમાં સમાધાન થઈ ગયા પછી યુવતીના ઘર બાજુ રામ મંડળ જોવા માટે ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હતો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેની વકીલ પાસેથી મળેલ હકીકત એવી છે કે, ફરીયાદીને આરોપી નં.૩ ની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ આરોપી નં.૩ ને થઈ હતી અને આ પ્રેમસંબંધ તેને મંજૂર ન હોય હવે પછી સંબંધ નહી રાખવા બંને પક્ષે સમાધાન થયેલ હતું ત્યાર બાદ ફરીયાદી રામામંડળ રમતુ હોય જે જોવા માટે ગયેલ જે આરોપીઓને સારુ નહી લાગતા આરોપીઓએ અમારા ઘર બાજુ કેમ આવેલ છો તેમ કહી ફરીયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ચાર આરોપીએ ઢીકાપાટુનો અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર ઘર બાજુ આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી અને ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હતી તે મુજબની ફરીયાદ ફરીયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી જે કેસ મોરબીના એડિ. ચિફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો જે કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સનીયર વકીલ અને નોટરી બી.બી.હડીયલ રોકાયેલ હતા.






Latest News