ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી સીટી તથા તાલુકામાં બે મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી સીટી તથા તાલુકામાં બે મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી સીટી વિસ્તાર તથા તાલુકા વિસ્તારમાં બે મામલતદારોની જગ્યા ખાલી છે.જેને લઈને અહીંના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને ખાલી જગ્યાઓ લોકહિતમાં તાત્કાલીક ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લો ધણા સમયથી બન્યો છે પરંતુ સુવિધાને નામે મીંડુ છે.આજે મોરબી તાલુકા તથા મોરબી સીટી કચેરીમાં બંને મામલતદારોની જગ્યા ખાલી છે.મામલતદાર એટલે કે તાલુકા મેજીસ્ટેટ જેવો હોદો અને મહતવની જગ્યા ગણાય છતા આ બંને જગ્યા હાલમા ધણા સમયથી ખાલી છે ! અને હાલમાં અન્યને ચાર્જ આપી ચલાવવામાં આવે છે.જેથી ચાર્જમાં રહેલ અધિકારી કર્મચારી નિતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી અને અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.રેગ્યુલર મામલતદાર ન હોવાને કારણે પ્રજાના અસંખ્ય કામો હાલમાં અટકી પડેલ છે અને મોરબી શહેર તેમજ તાલુકાની પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે આ બાબતે મોરબીના કલેકટરને અવાર નવાર રજુઆત કરેલ પરંતુ કોઈ નક્કર પરિણામ આવેલ નથી.અહીનું વહીવટી તંત્ર અંધેરી નગરીને ગંડુરાજા ની કહેવત સમાન ચાલે છે.અધિકારીઓ કે કર્મચારીઓ પ્રજાના પ્રશ્નોની કાઈ દરકાર કરતા નથી અને એસી ઓફિસોમાં બેસીને મોજ મજા કરે છે. અધિકારીઓની અનઆવડત કે બેદરકારીને કારણે પ્રજામાં ધણો જ અસંતોષ ફેલાયેલ છે અને આવા અમુક અધિકારીને કારણે ગુજરાતની ભાજપ સરકાર બદનામ થાય છે.જેની અસર આવતી ચુંટણીમાં થાય તો નવાઈ નહી.તો આ બાબતે તાત્કાલીક મહતવની બંને મામલતદારની ખાલી જગ્યા ભરવા પી.પી.જોષીએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે.






Latest News