ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના પટેલ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આશીર્વાદ લીધા


SHARE











મોરબીના પટેલ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આશીર્વાદ લીધા

મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ આવેલ છે.આ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે.છેલ્લા ઘણા વર્ષોથી પટેલ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં વિવિધ પ્રકારના ફલોટ તૈયાર કરવામાં આવે છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.તેમજ જુદી જુદી થીમ મુજબ પણ ડેકોરેશન કરીને સામાજીક સંદેશ આપવામાં આવતા હોય છે.જેથી ત્યાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જે મુજબ આ ગણેશ ઉત્સવ ખાતે મોરબીના ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો પણ દર્શન માટે પહોંચ્યા હતા.જેમાં પૂર્વ મંત્રી અને પુર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા સહિતના ભાજપના આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો તથા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મહાદેવભાઇ પટેલ અને કે.ડી.બાવરવા સહિતના અગ્રણીઓએ પણ આ ગણેશ પંડાલ ખાતે પહોંચીને ગણપતિ મહારાજના આશીર્વાદ લીધા હતા.






Latest News