મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના પટેલ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આશીર્વાદ લીધા


SHARE













મોરબીના પટેલ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આશીર્વાદ લીધા

મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ આવેલ છે.આ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે.છેલ્લા ઘણા વર્ષોથી પટેલ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં વિવિધ પ્રકારના ફલોટ તૈયાર કરવામાં આવે છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.તેમજ જુદી જુદી થીમ મુજબ પણ ડેકોરેશન કરીને સામાજીક સંદેશ આપવામાં આવતા હોય છે.જેથી ત્યાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જે મુજબ આ ગણેશ ઉત્સવ ખાતે મોરબીના ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો પણ દર્શન માટે પહોંચ્યા હતા.જેમાં પૂર્વ મંત્રી અને પુર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા સહિતના ભાજપના આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો તથા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મહાદેવભાઇ પટેલ અને કે.ડી.બાવરવા સહિતના અગ્રણીઓએ પણ આ ગણેશ પંડાલ ખાતે પહોંચીને ગણપતિ મહારાજના આશીર્વાદ લીધા હતા.






Latest News