ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી તાલુકમાંથી ઓરિસ્સાના શખ્સે કર્યું સગીરાનું અપહરણ


SHARE











મોરબી તાલુકમાંથી ઓરિસ્સાના શખ્સે કર્યું સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ઓરિસ્સાના શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ હળવદ તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું ગત તા. 7/8/2025 ના રોજ અપરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલ રંગપર ગામની સીમમાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ રહે ઓરિસ્સા રહેવાસી સુજિયો ઉર્ફે શિપુની નિમાપચંદ કાટ વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરે છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ ચલાવી રહ્યા છે.

મારા મારીમાં ઇજા

ભીમકટાકના રહેવાસી શામજીભાઈ ચનાભાઈ વાઘેલા (30) અને શૈલેષભાઈ ચનાભાઈ વાઘેલા (21) નામના બે યુવાનોને આમરણ રોડ ઉપર મંદિર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

બાઇક સાથે બાઇક અથડાયું

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નવા મકનસર ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દિનેશભાઈ પાનાભાઈ ડામોર (42), રેણુકા દિનેશભાઈ ડામોર (33) અને કાવ્યા દિનેશભાઈ ડામોર (8)ને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે એપેક્સ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેઓને સારવારની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News