ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત


SHARE











મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત

મોરબીમાં આવેલ રાજ્યના ચીફ સેક્રેટરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વિવિધ પ્રશ્નોને ઉકેલવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને ડી.એલ.આર.ની માપણી પછી રેવન્યુ રેકર્ડમાં અસર તાત્કાલિક આપવામાં અને મીઠા ઉદ્યોગને અપાતી જમીનમાં લીઝથી વધુ જમીન ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે તેમજ લીઝ પૂરી થઈ ગયેલ હોય તે જમીનને સરકાર હસ્તક લેવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ રાજ્યના ચીફ સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લાની પરિસ્થિતિ હાલત ખરાબ છે. હાલમાં મોરબી ડી.એલ.આર. કચેરી ઘ્વારા જે જમીનોની માપણી કરવામાં આવે છે તે જમીનોમાં કે.જી.પી. ઈસ્યુ થતુ નથી અને હિસ્સા માપણીની અસર રેવન્યુ રેકર્ડમાં આપવામાં આવતુ નથી. જેથી ખેડૂતોને વારંવાર તેની જમીનની માપણી કરવી પડે છે. અને અવાર નવાર વિસંગતતા પણ સર્જાય છે જેથી ડી.એલ.આર. કચેરી જે માપણી કરે છે તેની અસર રેકર્ડમાં સ્કેચ મુજબની અસર આપવામાં આવે તો આ ખેડુતોની જમીનનું ટાઈટલ કાયમીપણે રેકર્ડમાં ઉપલબ્ધ રહે છે.

મોરબી જીલ્લામાં ઉદ્યોગ, વેપાર અને ધંધોના લીધે નાણાકીય લેવડ દેવડ વધુ હોય છે અને અવાર નવાર લૂંટની ઘટનાઓ બને છે અને તેમ છતાં જીલ્લામાં હથિયાર પરવાના ઇશ્યૂ કરવામાં આવતા નથી અને અરજદારોની અરજીઓ પેન્ડિંગ પડી છે. જે અરજીઓ પેન્ડિંગ છે તેમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, નિવૃત આર્મિમેનો વિગેરેનો સમાવેશ થાય છે. જેના માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજુઆત કરેલ છે. તેમજ જીલ્લામાં મીઠા ઉદ્યોગની અપાતી લીઝ પરની જમીનો લીઝ મંજુર થયા સિવાયની જમીનો પર બીનઅધિકૃત કબજો કરવામાં આવેલ છે તેને ખુલ્લો કરાવમાં આવે અને દબાણ દૂર કરવામાં આવે અને જે લીઝ પૂરી થઈ ગયેલ છે તેવી જમીન સરકાર હસ્તક લેવામાં આવે તેમજ ફાળવેલ જમીન પરની રોયલ્ટીની રકમો ભરેલ ન હોય તેવી તમામ જમીનો સરકાર હસ્તક લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.






Latest News