મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી


SHARE







મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી

મોરબી મનપામાં સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મનપામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં વિકાસ કામ શરૂ કરવામાં આવે અને લોકોને જન્મ મરણના દાખલા માટે હાલાકીનો સામનો કરવો ન પડે તેના માટે અધિકારી અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે.

મોરબી મનપાના સભાખંડમાં આજે કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા હાજર રહ્યા હતા ત્યારે જુદાજુદા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતુ કે મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં વિકાસ કામો અંગે ચર્ચા થઈ હતી. અને દોઢેક મહિના પૂર્વે 12 કામ શરૂ કરવામાં આવ્યા હતા. અને આગામી તા.10 ના રોજ વધુ 2 કામો શરૂ કરવામાં આવશે. અને મહિને સરેરાશ 10થી 12 નવા કામો શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં મહિને એક-બે કામ શરૂ થાયનું પણ આયોજન કરવામાં આવી રહી છે. તો કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ખાસ કરીને મોરબીમાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં જન્મ મરણના દાખલાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વીસીપરા અને રણછોડનગરમાં પાણીની પાઈપલાઈનનો પ્રોજેકટ છે તે અંગે પણ ચર્ચા થઈ હતી. અને લોકોની જે પણ ફરીયાદો હોય છે તેનો તાત્કાલિક નિવેડો આવે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપેલ છે.






Latest News