મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે


SHARE













મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે

મોરબીમાં નવલખી ફાટક પાસે સિલ્વર પાર્ક સોસાયટી નજીક ઝૂંપડમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ છ આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં નવલખી ફાટકના બ્રિજના છેડા પાસે સિલ્વર પાર્ક નજીક ઝૂંપડમાં રહેતા નરસીભાઈ જીવાભાઇ પરમાર (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની બે મહિલા સહિત 6 વ્યક્તિની સામે નામ જોગ ફરિયાદ લખાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, શંકરભાઈ ઉર્ફે ચકુ ફરિયાદીના નાતના રાણીગભાઈ હીરાભાઈ દેવીપુજકની દીકરી સંગીતાને ભગાડી ગયેલ હોય જેનું સમાધાન કરવા માટે આરોપીઓ ફરિયાદીને દબાણ કરતા હતા પરંતુ ફરિયાદી સમાધાન કરવા સાથે જવાની ના કહેતા હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગભાભાઇને છરીનો જીવલેણ ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને ફરિયાદીના મોટાભાઈ ગભાભાઈ જીવાભાઈને છરી, ધારિયા અને ધોકા વડે મારમાર્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને હત્યાના આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી વિજયભાઈ ગુણાભાઈ પરમાર (25), શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર (28), ભગાભાઈ ગુણાભાઈ પરમાર (21), ભાવુબેન ભગાભાઈ પરમાર (20), મંજુબેન વિજયભાઈ પરમાર (24) અને સની હસમુખભાઈ ઝિંઝુવાડીયા (20) રહે. તમામ પરશુરામ ધામ પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી જેને કોર્ટમાં રજૂ કરીને આ તમામ આરોપીઓને જેલ હવાલે કરેલ છે.






Latest News