સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે


SHARE











મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે

મોરબીમાં નવલખી ફાટક પાસે સિલ્વર પાર્ક સોસાયટી નજીક ઝૂંપડમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ છ આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં નવલખી ફાટકના બ્રિજના છેડા પાસે સિલ્વર પાર્ક નજીક ઝૂંપડમાં રહેતા નરસીભાઈ જીવાભાઇ પરમાર (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની બે મહિલા સહિત 6 વ્યક્તિની સામે નામ જોગ ફરિયાદ લખાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, શંકરભાઈ ઉર્ફે ચકુ ફરિયાદીના નાતના રાણીગભાઈ હીરાભાઈ દેવીપુજકની દીકરી સંગીતાને ભગાડી ગયેલ હોય જેનું સમાધાન કરવા માટે આરોપીઓ ફરિયાદીને દબાણ કરતા હતા પરંતુ ફરિયાદી સમાધાન કરવા સાથે જવાની ના કહેતા હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગભાભાઇને છરીનો જીવલેણ ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને ફરિયાદીના મોટાભાઈ ગભાભાઈ જીવાભાઈને છરી, ધારિયા અને ધોકા વડે મારમાર્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને હત્યાના આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી વિજયભાઈ ગુણાભાઈ પરમાર (25), શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર (28), ભગાભાઈ ગુણાભાઈ પરમાર (21), ભાવુબેન ભગાભાઈ પરમાર (20), મંજુબેન વિજયભાઈ પરમાર (24) અને સની હસમુખભાઈ ઝિંઝુવાડીયા (20) રહે. તમામ પરશુરામ ધામ પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી જેને કોર્ટમાં રજૂ કરીને આ તમામ આરોપીઓને જેલ હવાલે કરેલ છે.






Latest News