મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પોલીસ કોન્સ્ટેબલના આગોતરા જામીન મંજુર


SHARE











મોરબીમાં કરેલા આપઘાતના ચકચારી કેસમાં ૧૧ સામે ગુનો નોંધાયો હતો જે પૈકીના પોલીસ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા વકીલ મારફતે આગોતરા જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ બનાવની ટુકમાં હકીકત એવી છે કે મોરબી બી. ડીવીઝન પોલીસ સ્ટોશન ખાતે બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ની કલમ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ ની ફરીયાદી જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ ફરીયાદ આપેલી હતી કે તેનો ભાઈ નીલેશભાઈએ પોતાની ઓફીસમાં જંતુનાશક દવા પી જઈ આપઘાત કર્યો હતો ત્યાર બાદ કુલ ૧૧ આરોપીઓ સામે વ્યાજના પૈસાના દબાણના કારણે આપઘાત કરી મરણ ગયેલ હોય તે મતબલની ફરીયાદ જાહેર કરેલ હતી અને જેની સામે દુનો નોંધાયો હતો તેમા ફરીયાદીએ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલનુ પણ આરોપી તરીકે નામ આપેલ હતુ જેથી યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ મોરબી એડી. સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત આગોતરા જામીન અરજી કરી હતી. અને આરોપી યોગીરાજસિંહના વકીલ મનીષ પી. ઓઝાએ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી ઘારદાર દલીલ કરતા મોરબીના સેશન્સ જજ નાદપરાસાહેબે આરોપી યોગીરાજસિંહને ૫૦,૦૦૦ ના શરતોને આધિન આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.






Latest News