વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે ગણેશજીના ફોટા વાળી ચલણી નોટ !


SHARE











મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે ગણેશજીના ફોટા વાળી ચલણી નોટ !

દુનિયાની એકમાત્ર ઈન્ડોનેશિયા દેશમાં ચલણી નોટમાં ગણેશજીનો ફોટા મૂકવામાં આવેલ છે અને તે ચલણી નોટ મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે. 

 ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજીનો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં વર્ષ 1998માં તેના દ્વારા 20,000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી જેમાં ભગવાન શ્રી ગણેશજી બિરાજમાન છે અને લગભગ આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે જેના પર ગણેશજીનો ફોટો છે આ નોટ મોરબીમાં રહેતા જાણીતા હાડવૈદ્ય ઉમેદસિંહ ગંજસિંહ ચૌહાણના પુત્ર પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે તેઓને દેશ વિદેશની ચલણી નોટો, સ્ટેમ્પ, સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ છે.

એડવોકેટ મીતેશભાઈ દવે

ભગવાન ગણેશના ફોટો વાળી નોટ બહાર પાડનાર પણ હિંદુ રાષ્ટ્ર નહિં, પરંતુ મુસ્લિમ રાષ્ટ્ર છે એ પણ મહત્વનું છે. મોરબીના એડવોકેટ મીતેશભાઈ દવે વિવિધ દેશોની ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ છે. જેથી તેઓની પાસે આજની તારીખે 27 વર્ષ પહેલા ઈન્ડોનેશિયાએ બહાર પાડેલ ભગવાન ગણેશના ફોટો વાળી 20,000 રૂપીયાની ચલણી નોટ છે. સાથે ભારત ના રાજા રજવાડાં ની વાત કરીએ તો સાંગલી, વાડી સ્ટેટ, મીરાજ, કુરૂન્ડવાડ સિનિયર અને જુનિયર, જેવા રજવાડાં ના સ્ટેમ્પ પેપર અને કોર્ટ ફી સ્ટેમ્પ પર પણ ગણેશજીના ચિત્રો હતા અને વિદેશમાં નેપાળ, થાઈલેન્ડ દ્વારા બહાર પડેલ ગણેશજીના ચિત્રણ વાળો સિક્કો પણ તેમના સંગ્રહમાં છે.






Latest News