મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

ગંધર્વ-અપ્સરાને શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે વર્ષો પહેલા મોરબીના બિલિયા નજીક જંગલમાં પ્રશન્ન થયા હતા બિલેશ્વર મહાદેવ


SHARE













ગંધર્વ-અપ્સરાને શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે વર્ષો પહેલા મોરબીના બિલિયા નજીક જંગલમાં પ્રશન્ન થયા હતા બિલેશ્વર મહાદેવ

મોરબી નજીકના બીલીયા ગામ પાસે આવેલ છે બિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર...આ મંદિરની દંતકથા મુજબ દેવયોગથી શ્રાપિત થયેલ ગંધર્વ અને અપ્સરાને તેના શ્રાપમાંથી મુક્તિ મળે તે માટે દેવાધી દેવ મહાદેવ યુરપુરી એટલે કે મોરબીથી ૧૫ કિલો મીટર દુર હાલમાં જે જગ્યા પાસે ત્રણ ગામ નો ત્રીભેટો થાય છે તેવા મયુરપુરીના જંગલમાં મહાદેવ પ્રશાન્ન થયા હતા અને આ જગ્યાને લોકો હાલમાં બિલેશ્વર મહાદેવ મંદિર ના નામ થી જાણે છે તો ચાલો જાણીએ બિલેશ્વર દાદાના પ્રગટ્યાનો ઈતિહાસ જોઈએ તો 

૭૦૦ વર્ષ જુનું બીલેશ્વર મહાદેવનું મંદિર મોરબી નજીકના બીલીયા ગામ પાસે આવેલ છે તે જગ્યા એ વર્ષો પેહલા રત્નાકર સાગર હતો અને તેના તટ પાસે મયુરપુરી એટલે કે મોરબી વસેલું હતું અને હાલમાં જે જગ્યા પર મંદિર આવેલું છે ત્યાં મયુરપુરીનું ગાઢ જંગલ હતું અને આ વિસ્તારના લોકો પશુપાલન અને ખેતીનો ધંધો કરતા હતા તે સમયે રાજવી પરિવારના દિવાન એક વાણીયા શેઠને ત્યાં ખુબ જ ગાયો હતી અને તે ગાયોની ખુબ જ સેવા કરતા હતા તેમની કપિલા નામની ગાયને ગામના ધણની સાથે ગોપાલક ભલો ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો એવું કેહવાય છે કે વાણીયાની ગાય અને ભરવાડ દેવયોગથી શ્રાપિત હતા અને વાણીયાની ગાય, ભરવાડ અને શિવજીનું બાણ એક જ સમયે ભેગા થાય તે સમયે જ તે શ્રાપ મુક્ત થાય તેમ હતું જેથી શિવજીના મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની જેવો જ આ મંદિરનો પણ પ્રગટ્યાનો ઈતિહાસ છે અને આ મંદિર માત્ર મોરબીના જ નહિ દેશ વિદેશમાં રેહતા લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ભગવાન શંકરના તો અનેક નામ છે પરંતુ બિલેશ્વર નામ પાછળના ઈતિહાસમાં એવું કેહવાયું છે કે જંગલમાં ચોતરફ બીલીપત્રના વૃક્ષની વચ્ચે દાદા પ્રગટ થયા હોવાથી તેમનું નામ બિલેશ્વર રાખવામાં આવ્યું છે.અત્રે ઉલેખનીય છે કે, વર્ષો પેહલા ત્યાં માત્ર નાની દેરી જ હતી જો કે ત્યાર બાદ મંદિરની બાજુમાં જ ખેતર ધરાવતા મુળજીભાઈ વિલાપરાએ મંદિર મોટું બને તે માટે તેના ખેતરમાંથી બે વીઘા જમીન મંદિર માટે આપી હતી એટલે જ તો વર્ષો પેહલા જે જગ્યા એ નાની દેરી હતી ત્યાં આજે મહાદેવનું વિશાળ મંદિર છે.અત્રે ઉલેખનીય છે કે, બિલેશ્વર દાદાને પ્રસન્ન કરવા માટે શિવભકતો દ્વારા લઘુરુદ્ર યજ્ઞ અને મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે.અને એવું કહેવાય છે કે, બીલેશ્વર મહાદેવનો જે કોઈ પણ પૂરી શ્રધ્ધાથી અભિષેક કરાવે છે તેમને મન વંચિત ફળ મળે છે અને તે અભય બની જાય છે.






Latest News