ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા ગામે શાળામાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીના ગોરખીજડીયા ગામે શાળામાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના નિર્દેશન હેઠળ મોરબી તાલુકાના ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં વ્યસન અંગેની જન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડો.હિરેન વાંસદડિયાના માર્ગદર્શન હેઠળ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ધો. 1 થી 8 ના 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.ત્યાર બાદ વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા સંકલ્પ લીધેલ હતો. અને અંતમાં સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. ભૂમિકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સુપરવાઇઝર જે.બી.બેચરા, મનીષ મકવાણા, સી.એચ.ત્રિવેદી, એસ.આર.દલ તથા શાળાના પ્રિન્સિપાલ પંકજભાઈ ઠોરિયા તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News