હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવા એસપી મુકેશકુમાર એન. પટેલ: રાહુલ ત્રિપાઠીની અમદાવાદ એસ.ઓ.જી.માં બદલી


SHARE











મોરબી જિલ્લાના નવા એસપી મુકેશકુમાર એન. પટેલ: રાહુલ ત્રિપાઠીની અમદાવાદ એસ.ઓ.જી.માં બદલી

છેલ્લા ઘણા સમયથી આઇપીએસની બદલીની ચર્ચા ચાલી રહી હતી તેવામાં ગઇકાલે ગુજરાત સરકારે એકી સાથે 105 આઇપીએસ અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. જેમાં મોરબીના એસપીની બદલી કરીને તેઓને અમદાવાદ એસ.ઓ.જી.માં મૂકવામાં આવેલ છે અને મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર એન. પટેલને મૂકવામાં આવ્યા છે.

ગઇકાલે ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં 25 જિલ્લાના એસપી, ચાર મોટા શહેરના 32 ડીસીપી સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. અને જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની મોરબીથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. અમદાવાદ ખાતે નિમણૂક કરવામાં આવી છે. જયારે મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર એન. પટેલની નિમણૂક કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, તેઓ ગાંધીનગર સીઆઈડી (ક્રાઈમ)ના એસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેઓની બદલી કરીને મોરબીના એસપી તરીકે તેઓને નિમણૂક આપવામાં આવી છે.






Latest News