મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક કારખાનામાં ખુરશી ઉપર બેઠા મોબાઈલ જોતાં સમયે ઢળી પડેલ તરુણનું મોત


SHARE











માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક કારખાનામાં ખુરશી ઉપર બેઠા મોબાઈલ જોતાં સમયે ઢળી પડેલ તરુણનું મોત

માળીયા (મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ કારખાનામાં તરુણ ખુરશી ઉપર બેઠો હતો અને મોબાઈલ જોઈ રહ્યો હતો દરમિયાન અચાનક તે બેભાન થઈને ઢળી પડતા તેને જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જે બનાવ અંગેની મૃતક તરુણના પરિવરન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં માળીયા (મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ એકસજીસન વિટ્રીરીફાઈડ નામના સિરામિક કારખાનામાં હેતો રામુકુમાર કેદારકુમાર રાજભર (17) નામનો તરુણ ગત તા. 12/8 ના રોજ સાંજના સાતેક વાગ્યે અરસામાં કારખાને ખુરશી ઉપર બેઠા બેઠા મોબાઈલ જોઈ રહ્યો હતો દરમિયાન તે અચાનક બેભાન થઈને ઠળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તે તરુણને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની રોહિતકુમાર તીમલકુમાર રાજભર (21) રહે. એક્સજીસન સીરામીક લેબર કવાર્ટર ખાખરેચી માળિયા મૂળ રહે. યુપી વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News