મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ બે આરોપીની જામીન અરજી કોર્ટે કરી રદ્દ


SHARE







મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ બે આરોપીની જામીન અરજી કોર્ટે કરી રદ્દ

મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ મળીને 6 આરોપીને પકડવામાં આવેલ છે જે પૈકી છેલ્લે પકડાયેલ આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે જો કે, અગાઉ પકડાયેલ પાંચ આરોપી પૈકીનાં એક મહિલા સહિત બે આરોપી વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં આરોપીના વકીલને સાંભળીને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા બંને જામીન અરજીને રદ કરવામાં આવેલ છે.

મોરબીના વજેપર ગામની કરોડો રૂપિયાની કિંમતી જામીન પચાવી પાડવા માટે બોગસ આધાર પુરાવા ઊભા કરીને જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમએ ફરિયાદ કરી હતી અને તે ગુનામાં હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલ ચલાવી રહ્યા છે અને આ ચકચારી ગુનામાં એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે તેવામાં સીઆઇડીની ટીમે અત્યાર સુધીમાં કુલ મળીને 6 આરોપીને પકડવામાં આવેલ છે જો કે, આ ગુનામાં છેલ્લે પકડાયેલ આરોપી અતુલ જોશી હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર છે તેવામાં અગાઉ આ ગુનામાં પકડાયેલ આરોપી ભરત દેગામા અને શાંતાબેન પરમાર દ્વારા તેઓના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી અને આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને સાંભળીને મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબ દ્વારા બંને આરોપીની જામીન અરજીને રદ કરવામાં આવેલ છે. તેવી માહિતી મોરબી જિલ્લાના સરકારી વકીલ પાસેથી જાણવા મળેલ છે.






Latest News