મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ બે આરોપીની જામીન અરજી કોર્ટે કરી રદ્દ


SHARE













મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ બે આરોપીની જામીન અરજી કોર્ટે કરી રદ્દ

મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ મળીને 6 આરોપીને પકડવામાં આવેલ છે જે પૈકી છેલ્લે પકડાયેલ આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે જો કે, અગાઉ પકડાયેલ પાંચ આરોપી પૈકીનાં એક મહિલા સહિત બે આરોપી વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં આરોપીના વકીલને સાંભળીને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા બંને જામીન અરજીને રદ કરવામાં આવેલ છે.

મોરબીના વજેપર ગામની કરોડો રૂપિયાની કિંમતી જામીન પચાવી પાડવા માટે બોગસ આધાર પુરાવા ઊભા કરીને જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમએ ફરિયાદ કરી હતી અને તે ગુનામાં હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલ ચલાવી રહ્યા છે અને આ ચકચારી ગુનામાં એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે તેવામાં સીઆઇડીની ટીમે અત્યાર સુધીમાં કુલ મળીને 6 આરોપીને પકડવામાં આવેલ છે જો કે, આ ગુનામાં છેલ્લે પકડાયેલ આરોપી અતુલ જોશી હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર છે તેવામાં અગાઉ આ ગુનામાં પકડાયેલ આરોપી ભરત દેગામા અને શાંતાબેન પરમાર દ્વારા તેઓના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી અને આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને સાંભળીને મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબ દ્વારા બંને આરોપીની જામીન અરજીને રદ કરવામાં આવેલ છે. તેવી માહિતી મોરબી જિલ્લાના સરકારી વકીલ પાસેથી જાણવા મળેલ છે.






Latest News