હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા


SHARE











વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સ્વયંભૂ જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી તેની ઉજવણી કરવામાં આવે છે અને મંદિરના પટાંગણમાં જડેશ્વર દાદાની રવાડી નીકળશે અને ત્યારબાદ તે મેળાના ગ્રાઉન્ડ સુધી જશે અને મંદિરે રવડી પરત આવશે ત્યાર બાદ નિજ મંદિરમાં મહાઆરતી થશે અને પછી હજારો લોકો આજે ભંડારાનો લાભ લેશે.

શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર જે લોકમેળા યોજાઇ છે તેનો સર્વ પ્રથમ મેળો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાતો હોય છે ગઈકાલે આ મેળાને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને કાંતિભાઈ અમૃતિયા તથા મંદિરના મહનત રતિલાલ મહારાજ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે કે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ છે અને આજે પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મંદિરના પટાંગણમાંથી જડેશ્વર દાદાની રવડી શરૂ કરવામાં આવશે અને મેળાના ગ્રાઉન્ડ સુધીમાં જડેશ્વર દાદાની રવાડી જશે ત્યાર બાદ મંદિરના પટાંગણમાં રવાડીને પૂરી કરવામાં આવશે અને પછી જડેશ્વર દાદાની મધ્યાહન મહાઆરતી યોજાશે જેનો હજારો શિવભક્તો લાભ લેશે અને ત્યારબાદ ભંડારો અને મહાપ્રસાદ યોજાશે જેનો જડેશ્વર દાદાના દર્શન, પૂજન અને મેળાનો લાભ લેવા માટે આવેલા શિવભક્તો લાભ લેશે.






Latest News