મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને ત્રાસ આપવાના કેસમાં સાસરિયાંનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં પરિણીતાને ત્રાસ આપવાના કેસમાં સાસરિયાંનો નિર્દોષ છુટકારો

મોરબીમાં રહેતી મહિલાએ તેના પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે

આ કેશની વકીલ પાસેથી મળેલ હકીકત એવી છે કે, ફરીયાદી જયશ્રીબેન દાનાભાઇ પરમારને વર્ષ 2018 માં તેમના પતિએ ઝગડો કરી ગાળો આપીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને તેના સાસુ-સસરા અને નંણદ અવાર નવાર ઘરના કામકાજ બાબતે મહેણા ટોણા મારતા અને શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા અને અન્ય આરોપીઓએ ઝગડો કરી મારમારીના ગુન્હામાં એકબીજાને મદદગારી કરતાં હતા તેવી ફરિયાદ કરી હતી જેથી મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં આઇપીસી ની કલમ- 498(ક), 323, 504, 114 મુજબ ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની ચિફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે આ કેસમાં આરોપી વતી મોરબીના સનીયર વકીલ અને નોટરી બી.બી.હડીયલ રોકાયેલ હતા.






Latest News