મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદમાં કિન્નરો લોકો પાસેથી પૈસા માંગીને ચલાવી રહયા છે ગૌશાળા


SHARE











હળવદમાં કિન્નરો લોકો પાસેથી પૈસા માંગીને ચલાવી રહયા છે ગૌશાળા

હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ શહેરના ભવાની નગર વિસ્તારમાં આવેલ બહુચર માતાજીનું મંદિર ત્રણ વર્ષ પહેલા નિર્માણ પામ્યું છે જેમાં હળવદ, ધાંગધ્રા, થાનના ૪૦ કિન્નરોની માતાજીની સેવા-પૂજા કરે છે સાથોસાથ જય બહુચર માં ગૌશાળા પણ ચલાવી રહ્યા છે ત્યાં ૩૫ જેટલી ગાયોની દેખભાળ રાખીને ગૌશાળા ચલાવી રહ્યા છ

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં ૩ વર્ષ પહેલા બહુચર માતાજીનું મંદિર નિર્માણ પામી છે જેમાં હળવદ ધાંગધ્રા થાનગઢના કિન્નરોઓ અહીં માતાજીની સેવા-પૂજા કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેની સાથોસાથ જય બહુચર માં ગૌશાળા ચલાવી રહ્યા છે આ કિનરો દ્વારા હળવદ ધાંગધ્રા અને થાનગઢમાં તહેવારોમાં તેમજ લગ્ન પ્રસંગે પૈસા માગીને તે પોતાના ખિસ્સામાં રાખતા નથી કે પોતે મોજશોખ કરતા નથી તેઓ પૈસા આવે તે ૩૫ જેટલી ગાયોને ઘાસચારો ખવડાવીને દેખભાળ રાખીને ગૌશાળા ચલાવી રહ્યા છે

આ અંગે બહુચર માતાજીના સુરેખાદે મકસીસદે, અંકિતાદે સુરેખાદે, પૂજાદે સુરેખાદેને પૂછતા તેવોએ જણાવ્યું હતું કે અમો છેલ્લા બે વર્ષથી ૪૫ કિન્નરોની રહીએ છીએ અને માતાજીની સેવા-પૂજા કરી છીએ અને ગૌશાળા પણ ચલાવે છે દર પૂનમે અહીં બાળકોને બટુક ભોજન તેમજ મહિલા મંડળ દ્વારા રામધુનનું પણ આયોજન કરવામાં આવે છે અને અમો તમામ કિન્નર સમાજ જય બહુચર માતાજી ગૌશાળા ચલાવી રહ્યા છીએ જો કોઈ દાતાઓને દાન ભેટ કરવું હોય તો મોબાઈલ નંબર ૬૩૫૧૭ ૦૨૨૮૮ અથવા ૬૩૫૩૦ ૪૮૯૬૪ માં સંપર્ક કરીને ગૌશાળા માટે સહયોગ આપી શકે છે તેવું જણાવ્યુ છે 






Latest News