મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઇવેના સર્વિસ રોડના ખાડા બૂરીને વરસાદી પાણીના નિકાલ ખુલ્લા કરવા તેમજ નવા જંકશન બનાવવા કરી રજૂઆત


SHARE











મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઇવેના સર્વિસ રોજના ખાડા બૂરીને વરસાદી પાણીના નિકાલ ખુલ્લા કરવા તેમજ નવા જંકશન બનાવવા કરી રજૂઆત

મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડમાં ખાડા પડી ગયા છે, સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે તથા ખાડા પડી ગયા છે આટલું જ નહીં પરંતુ ઓવરબ્રિજ ઉપરની લાઈટો બંધ છે જેથી મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિત ફરિયાદ સાથે રજૂઆત કરવામાં આવી છે અને એક-બે નહીં પરંતુ કુલ મળીને 19 જગ્યા ઉપર સમારકામ કરવા માટેની લેખિત યાદી આપવામાં આવી છે

મોરબી જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર-27 પસાર થાય છે અને આ હાઈવે રોડ મોરબી, માળિયા અને વાંકાનેર ત્રણ તાલુકાને ક્રોસ કરે છે. અને આ કુલ 95 કિલો મીટરનો હાઇવે રોડ છે જેના ઉપર એક નહીં પરંતુ અનેક જગ્યાએ મેઇન રોડ તેમજ સર્વિસ રોડ ઉપર ખાડા પડી ગયા છે, વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને ઓવરબ્રિજ ઉપર લાઈટો બંધ છે આવી અનેક સમસ્યાઓના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિતમાં રોડ બાબતની ફરિયાદ અને રજૂઆત કરવામાં આવેલ છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી માળીયા જામનગર ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, માળીયા હળવદ હાઇવે રોડ ઉપર ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, રાજકોટ ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, ટિંબડી ગામ પાસે સર્વિસ રોડ, માળીયા ફાટક ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, ત્રાજપરના ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, ઢુવા ઓવરબ્રિજના સર્વિસ રોડ પાસે, વાંકાનેર ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર તાત્કાલિક સમારકામ કરવાની જરૂર છે. તો લાલપર, રફાળેશ્વર, મકનસર, બંધુનગર વિગેરે જગ્યાએ પણ સર્વિસ રોડ ઉપર સમારકામ કરવાની તાત્કાલિક જરૂર છે તેમજ સોખડા, ગાળા, હરીપર, ભરતનગર,ધીરપુર, નવા જાંબુડીયા અને સરતાનપર ચોકડી પાસે જંકશન બનાવમાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તથા સર્વિસ રોડની બાજુમાં જ્યાં વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા હતી તે બંધ છે જેથી વરસાદી પાણી સર્વિસ રોડ ઉપર ભરાઈ જાય છે માટે ત્યાં યોગ્ય રીતે સાફ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News