મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં 3.50 લાખની લૂંટના ગુનામાં પકડાયેલ આરોપીના શરતોને આધીન જામીન મંજૂર


SHARE













મોરબીમાં 3.50 લાખની લૂંટના ગુનામાં પકડાયેલ આરોપીના શરતોને આધીન જામીન મંજૂર

મોરબીના શનાળા ગામે વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે લૂંટમાં ગયેલ રકમ સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેની જામીન અરજી વકીલ મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જમીન મંજૂર કર્યા છે.

મોરબીના સનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ સુરાણી પોતાની દુકાનેથી મંગળવારે રાતે સાડા નવ વાગ્યે ઘરે જતાં હતા ત્યારે તેના ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી તેઓએ તેના મિત્ર પાસેથી 4 લાખ રૂપિયા લીધેલા હતા જેમાંથી બજરંગ પાન વાળા કેતનભાઇને તેઓએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા જોકે, સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં રાખીને જતાં હતા તેની ગામમાં જ રહેતા વિશાલ રબારી દ્વારા લૂંટ કરવામાં આવી હતી. જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપી વિશાલ વેલજીભાઇ આલ રહે, શનાળા વાળાની ધરપકડ કરીને તેની પાસેથી લૂંટમાં ગયેલ 3.50 લાખ કબ્જે કર્યા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં આરોપી દ્વારા તેમના વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈને આરોપીને શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામે આરોપી વિશાલ રબારી તરફે મોરબીના સીનીયર વકીલ જીતેન્દ્રસિંહ આર.જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.






Latest News