હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં 3.50 લાખની લૂંટના ગુનામાં પકડાયેલ આરોપીના શરતોને આધીન જામીન મંજૂર


SHARE











મોરબીમાં 3.50 લાખની લૂંટના ગુનામાં પકડાયેલ આરોપીના શરતોને આધીન જામીન મંજૂર

મોરબીના શનાળા ગામે વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે લૂંટમાં ગયેલ રકમ સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેની જામીન અરજી વકીલ મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જમીન મંજૂર કર્યા છે.

મોરબીના સનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ સુરાણી પોતાની દુકાનેથી મંગળવારે રાતે સાડા નવ વાગ્યે ઘરે જતાં હતા ત્યારે તેના ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી તેઓએ તેના મિત્ર પાસેથી 4 લાખ રૂપિયા લીધેલા હતા જેમાંથી બજરંગ પાન વાળા કેતનભાઇને તેઓએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા જોકે, સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં રાખીને જતાં હતા તેની ગામમાં જ રહેતા વિશાલ રબારી દ્વારા લૂંટ કરવામાં આવી હતી. જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપી વિશાલ વેલજીભાઇ આલ રહે, શનાળા વાળાની ધરપકડ કરીને તેની પાસેથી લૂંટમાં ગયેલ 3.50 લાખ કબ્જે કર્યા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં આરોપી દ્વારા તેમના વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈને આરોપીને શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામે આરોપી વિશાલ રબારી તરફે મોરબીના સીનીયર વકીલ જીતેન્દ્રસિંહ આર.જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.






Latest News