મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મનસેના પ્રમુખ રાજ ઠાકરે સામે રાજદ્રોહ-રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની માંગ મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘે એ ડિવિઝનમાં આવેદનપત્ર આપ્યું


SHARE







મનસેના પ્રમુખ રાજ ઠાકરે સામે રાજદ્રોહ-રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની માંગ મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘે એ ડિવિઝનમાં આવેદનપત્ર આપ્યું

મુંબઈમાં યોજાયેલ જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ગુજરાતના લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે ત્યારે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘની આગેવાની હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજ ઠાકરે વિરોધ રાજદ્રો અને રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

તાજેતરમાં મુંબઈ ખાતે એક જાહેર કાર્યક્રમની અંદર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા દેશના પનોતા પુત્ર તેમજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી ગુજરાતના લોકો તેમજ દેશના રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાય છે અને જેથી મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના મનોજભાઈ પનારાની આગેવાની હેઠળ આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં જણાવ્યુ છે કે, રાજ ઠાકરે જેવા બે કોડીના નેતા જેનું મુંબઈમાં પણ કોઈ સ્થાન નથી તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને શું માને છે. શું નથી માનતા તેનાથી આ રાષ્ટ્રની સરદાર પ્રેમી જનતાને કોઈ ફેર પડતો નથી કેમ કેમ સરદાર લોહપુરુષ હતા અને રાષ્ટ્ર માટે રહેશે. જેથી ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ ઠાકરેની ગુજરાતમાં પ્રવેશબંધી કાયદાકીય રીતે કરવામાં આવે તેમજ રાજ ઠાકરે સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈની જાહેરમાં માફી માંગે અને માફી ન માંગે તો રાષ્ટ્ર નાયકના અપમાન બદલ તેની સામે રાજદ્રો અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી રાજ ઠાકરેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે જો રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈની માફી માંગવામાં નહીં આવે તો તેની સામે આગામી દિવસોમાં કોર્ટની અંદર દાવો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News