હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ


SHARE











વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ

વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગઇકાલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં અવાયું હતું અને શહેર તથા તાલુકામાં બિસ્માર રોડ રસ્તા, તૂટી ગયેલ પુલ, જોખમી પુલ, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, ખનીજ ચોરી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

વાંકાનેર નજીક રતિદેવરી તરફ જવાના રસ્તા ઉપર એક વર્ષ પહેલા પુલ તૂટી ગયેલ છે તેનું હજુ સુધી રિપેરિંગ થયેલ નથી, તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા બિસ્માર છે, સિંધાવદરનો પુલ જોખમી છે તેમજ પીજીવીસીએલ, ખાતર, ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, જંગલી પશુથી પાકને નુકશાન, ખનીજ ચોરી, ઓવરલોડ ડમ્પર સહિતની સમસ્યાઓ દૂર કરવા માટે અને જડેશ્વરથી અમરસર જતાં રોડના નબળા કામ બાબતે કોંગ્રેસનાં માજી ધારાસભ્ય મહમદજાવિદ પીરજાદાની આગેવાનીમાં કોંગ્રેસનાં આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ચર્ચા કરવામાં આવી હતી તેમજ શહેરમાં બિસ્માર રોડ, પાલિકા દ્વારા ફિલ્ટર વગરના દૂષિત પાણીનું વિતરણ, ઉભરાતી ગટર, તૂટી ગયેલ ગટરના ઢાંકણા તથા આશિયાના સોસાયટી અને ગુલાબનગરમાં પીવાનું પાણી આપવા માટેની રજૂઆત કરી હતી. ત્યારે માજી ધારાસભ્ય ઉપરાંત હરદેવસિંહ જાડેજા, કરશનભાઈ લુંભાણી, ગુલામભાઈ પરાસરા, નાથાભાઈ ગોરિયા, શકીલ પીરઝાદા, ઈસ્માઈલભાઈ બાદી, હુસેનભાઈ મંત્રી, અબ્દુલભાઈ બાદી, વનરાજભાઈ રાઠોડ, અરવિંદભાઈ અંબાલિયા, ગીતાબેન પરમાર, આબિદ ગઢવાળા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને જો તંત્ર દ્વારા સમસ્યાઓને દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News