મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત


SHARE











ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત

ટંકારાના ગણેશપર ગામે રહેતા આધેડ મહિલાને બીમારી સબબ રાજકોટ ખાતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે મહિલા બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલે મહિલાને પહોચાડતા ફરજ પરના ડોક્ટરે તે મહિલાને મૃત જાહેર કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા જશુબેન નાગજીભાઈ મેરા (54) નામના આધેડ મહિલાને બીમારી સબબ તેનો દીકરો સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતો હતો દરમિયાન રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને તેને હોસ્પિટલે લઈને પહોંચ્યા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

બાઇક સ્લીપ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ સોસાયટીમાં રહેતા નેહાબેન સુનિલભાઈ (29) નામની મહિલા પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મિલ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ શેરી નં-4 માં રહેતા દિનેશ બચુભાઈ દેવીપુજક (35) નામના યુવાનને ઉમિયા સર્કલથી આગળના ભાગમાં બ્રિજની નીચે મારામારીમાં ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News