મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત


SHARE













ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત

ટંકારાના ગણેશપર ગામે રહેતા આધેડ મહિલાને બીમારી સબબ રાજકોટ ખાતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે મહિલા બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલે મહિલાને પહોચાડતા ફરજ પરના ડોક્ટરે તે મહિલાને મૃત જાહેર કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા જશુબેન નાગજીભાઈ મેરા (54) નામના આધેડ મહિલાને બીમારી સબબ તેનો દીકરો સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતો હતો દરમિયાન રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને તેને હોસ્પિટલે લઈને પહોંચ્યા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

બાઇક સ્લીપ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ સોસાયટીમાં રહેતા નેહાબેન સુનિલભાઈ (29) નામની મહિલા પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મિલ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ શેરી નં-4 માં રહેતા દિનેશ બચુભાઈ દેવીપુજક (35) નામના યુવાનને ઉમિયા સર્કલથી આગળના ભાગમાં બ્રિજની નીચે મારામારીમાં ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News