બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)માં દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 96 બોટલ સાથે એક શખ્સની ધરપકડ


SHARE











માળીયા (મી)માં દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 96 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

માળીયા મીયાણામાં રામાપીરના મંદિરની પાછળ દારૂની રેડ કરવામાં આવી હતી દરમિયાન ત્યાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની અને મોટી 96 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 63,360 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયામાં આવેલ રામાપીરના મંદિરની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને નાની મોટી 96 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 63,360 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી સલિમ ઉર્ફે પલ્લો દિલાવરભાઈ જેડા (37) રહે, સરકારી હોસ્પિટલની બાજુમાં માળિયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂ તે કયાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી જતાં સારવારમાં

ટંકારાના વીરપર ગામે રહેતા આરતીબેન રાયમલભાઈ બામણીયા (16) નામની સગીરાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનને મારમાર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિશાંત જારીયા (30) નામના યુવાનને મહેન્દ્રનગર ગામે આવેલ બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા છ થી સાત લોકો દ્વારા લોખંડના પાઇપ વડે માથામાં અને હાથે પગે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News