મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો


SHARE











મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો

મોરબીના રવાપરા ગામ પાસેથી એક બાળક ગુમ થયો હતો જેથી તેના પરિવારજનો તે બાળકને શોધી રહ્યા હતા તેવામાં કાલાવડ સુધી તે બાળક પહોચી ગયો હતો જેથી ત્યાંની પોલીસે રવાપરા ગામના પૂર્વ સરપંચને જાણ કરતા તેઓ બાળકના પરિવારજનને સાથે લઈને ત્યાં ગયા હતા અને બાળકને મોરબી લઈ આવીને તેના પરિવારજન સાથે તેનું મિલન કરાવ્યું હતું.

મોરબી નજીકના રવાપરા પાસે રહેતા સંજયભાઈ ભરવાડિયાનો 8 વર્ષનો દીકરો ગોવિંદ છેલ્લા સાત દિવસથી ગુમ થઈ ગયો હતો જેથી તેને પરિવારજનો શોધતા હતા તેવામાં રવાપરા ગામના પૂર્વ સરપંચ નિતિનભાઈ ભટાસણાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, તમારા ગામનો એક બાળક કાલાવડમાંથી મળી આવેલ છે અને તેનું નામ ગોવિંદ છે જેથી તેઓ ગોવિંદના પરિવારજનને સાથે લઈને ત્યાં ગયા હતા અને ગોવિંદને મોરબી લઈ આવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું. જો કે, ગોવિંદ મોરબીથી કાલાવડ સુધી ગયો કેવી રીતે તે બાબતની કોઈ સ્પષ્ટતા હાલમાં થયેલ નથી.






Latest News