વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ એક જર્જરિત મકાન મનપાએ તોડી પાડ્યું


SHARE











મોરબીમાં વધુ એક જર્જરિત મકાન મનપાએ તોડી પાડ્યું

મોરબીમાં ચોમાસા દરમ્યાન કોઈ બનાવ ન બને તે માટે જર્જરિત અને જોખમી મકાન તોડવામાં આવી રહ્યા છે તેવામાં આજે મનપાની ટીમે મોટી માધાણી શેરીમાં જર્જરિત મકાનને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.

મનપાની ટીમે અગાઉ મોરબીના વઘાપરા, અરુણોદયનગર સહિતના જુદાજુદા વિસ્તારમાં જર્જરિત મકાન તોડી પાડવા માટે આસામીઓને નોટિસ આપેલ હતી જો કે, તેઓએ જોખમી મકાન તોડી પાડ્યા ન હતા જેથી મનપાનું જેસીબી તેના ઉપર ફરી વળ્યું હતું તેવી જ રીતે આજે મોરબીની મોટી માધાણી શેરીમાં આવેલ દીપિકાબેન પ્રભુદાસ શાહનું 100 વર્ષ જૂનું મકાન જે છેલ્લા વર્ષોથી જર્જરીત હાલતમાં હતું. અને ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બને તેવી શક્યતા હતી જેથી કરીને સ્થાનિક લોકોને ત્યાંથી પસાર થવામાં પણ જોખમ હતું માટે સ્થાનિક લોકોએ આ જર્જરીત મકાન તોડી પાડવા ગત ઓગસ્ટ મહિનામાં મોરબી પાલિકામાં અરજી કરી હતી ત્યારબાદ મનપા દ્વારા ગત 16 એપ્રિલના રોજ મકાન માલિકને આખરી નોટિસ આપવામાં આવી હતી જો કે, આસામી તે જોખમી બંધાકામ તોડી પાડ્યું ન હતું જેથી મનપાની ટિમ આજે જેસીબી સાથે પહોચી હતી અને ત્યાર બાદ જર્જરિત મકાનણે તોડી પાડવામાં આવ્યું હતું.






Latest News