મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા ગામે દુકાનના તાળા તોડીને રોકડા 10,000 ની ચોરી


SHARE











વાંકાનેરના ભોજપરા ગામે દુકાનના તાળા તોડીને રોકડા 10,000 ની ચોરી

વાંકાનેરના ભોજપરા ગામે યુવાનની દુકાનના તાળા તોડીને ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રોકડા રૂા.10,000 ની ચોરી કરવામાં આવી છે.જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામે રહેતા એજાજએહમદ ઇસ્માઇલભાઇ માથકીયા (34) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે ગત તા.20/3 ના રાત્રિના 11 વાગ્યાથી લઈને તા.21/3 ના સવારના 7 વાગ્યા સુધીના સમયગાળામાં કોઈપણ સમયે તેની દુકાનના દરવાજા ઉપર મારેલ લોકને તોડી નાખીને ટેબલના ખાનામાં રાખવામાં આવેલ રોકડા રૂા.10,000 ની ચોરી કરવામાં આવેલ છે.જેથી હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમા ઈજા

મોરબીની સિલ્વર પાર્ક સોસાયટી ખાતે રહેતા મનિષાબેન અશોકભાઈ ભાડેસીયા નામના 50 વર્ષના મહિલાને તેઓના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરાવામાં આવી હતી.જ્યારે મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સલીમ નૂરમામદભાઈ ખલીફા નામના 40 વર્ષીય યુવાનને વીસીપરા વિસ્તારમાં કોઈ અજાણ્યો વ્યક્તિ માથાના ભાગે પથ્થર મારીને ભાગી ગયો હોય ઇજા પામેલી હાલતમાં સલીમભાઈને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી વિસીપરા વિસ્તારમાં રહેતા સબાનાબેન અલીભાઈ માણેક નામની 43 વર્ષીય મહિલાને પણ મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

માળિયા મીંયાણાના હરીપર ગામ પાસે કાર સાથે ટ્રક અથડાવાના અકસ્માત બનાવમાં ડિમ્પલબેન નરપતભાઈ ચૌધરી (25) અને રમકુબેન અખારામ ચૌધરી (25) બંને રહે.હરિઓમ પાર્ક ઘુંટુ ને ઇજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે ઘુંટુ પાસેના કારખાનામાં રહી મજૂરી કામ કરતાં મોહનભાઈ ભગીલાલ ભાટ્ટી નામના 30 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના જુની પીપળી રોડ સિફોન સિરામીક પાસે મારામારીના બનાવમાં જમણા હાથ અને ગુપ્ત ભાગે ઇજા થતા અમિત ઈન્દ્રપાલ ગુપ્તા નામના 27 વર્ષના યુવાનને પણ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News