મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ અને એટ્રોસીટીના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE











મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ અને એટ્રોસીટીના ગુનામાં આરોપી જામીન મુક્ત

મોરબીમાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના તથા એટ્રોસીટીના કેશના પકડાયેલા આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયાએ એડી સેસન્સ કોર્ટ (સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટ)માં જામીન માટે અરજી કરી હતી અને કોર્ટે તેને જામીન મુક્ત કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે આ કામના આરોપીએ ફરીયાદી અનુ. જાતીના હોવાનુ જાણવા છતાં ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની સાથે તેની મરજી વિરૂધ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો અને ફરીયાદી સાથે લગ્ન કર્યા ન હતા જેથી ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયાની ધરપકડ કરેલ હતી. જે આરોપી સતીષભાઈ જેતપરીયાના જમીન માટેની અરજી મોરબીના વકીલ દિલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીઓ તરફે વકીલે કરેલ દલીલ અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના રજૂ કરવામાં આવેલ રજુઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી પક્ષના વકીલની દલીલ માન્ય રાખીને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, કનૈયાલાલ બાવરવા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.






Latest News