મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત

રાજસ્થાની યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં મોરબીમાં પાવળીયારી નજીક રહેતો દોલતરામ દેવચંદ વર્મા (46) નામનો યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ચક્કર આવતા તે રસ્તા ઉપર પડી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં રહેતા જાગૃતીબેન સુનિલભાઈ મોરવાડિયા (22) નામની મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પિયા લીધું હતુ જેથી તેને તાત્કાલિક સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના પરા બજારમાં આવેલ મેઇન પોસ્ટ ઓફિસ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુબેન કિશનભાઇ (30) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી વાળાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા ઈસ્માઈલભાઈ અમીનભાઈ જંગિયા (32) નામનો યુવાન મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતો ત્યારે તે બેભાન થઈ ગયો હતો જેથી તેને 108 મારફતે બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News