મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં... લાઇવ મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત


SHARE















મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત

રાજસ્થાની યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં મોરબીમાં પાવળીયારી નજીક રહેતો દોલતરામ દેવચંદ વર્મા (46) નામનો યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ચક્કર આવતા તે રસ્તા ઉપર પડી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં રહેતા જાગૃતીબેન સુનિલભાઈ મોરવાડિયા (22) નામની મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પિયા લીધું હતુ જેથી તેને તાત્કાલિક સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના પરા બજારમાં આવેલ મેઇન પોસ્ટ ઓફિસ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુબેન કિશનભાઇ (30) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી વાળાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા ઈસ્માઈલભાઈ અમીનભાઈ જંગિયા (32) નામનો યુવાન મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતો ત્યારે તે બેભાન થઈ ગયો હતો જેથી તેને 108 મારફતે બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News