મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન સાથે જોડાયેલા રક્તદાતાઓનું સ્નેહમિલન અને સન્માન સમરોહ યોજાયો
વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન
SHARE








વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન
વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામે યુવાને પોતાની વાડીમાં મગફળીનો પાલો અને જારની કડબના ઢગલો રાખ્યો હતો જે ઢગલામાં તે જ ગામની અંદર રહેતા એક શખ્સે આગ ચાપી દીધી હતી જેથી ખેત પેદાશનો માલ બનીને ખાખ થઈ ગયો હતો જેથી કરીને અંદાજે 65 થી 70 હજાર રૂપિયાનું યુવાનને નુકસાન થયેલ હોય ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા અને ખેતીકામ તથા કરિયાણાની દુકાન ચલાવતા એજાજઅહેમદ ઈસ્માઈલભાઈ માથાકિયા (34)એ હાલમાં રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાલાભાઇ સારલા રહે. મોટા ભોજપરા તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ભોજપરા ગામે પાદરમાં આવેલી તેની વાડીએ ફરિયાદીએ મગફળીનો પાલો તથા જારની કડબના ઢગલા મૂક્યા હતા તેમાં આરોપીએ કોઈ કારણોસર આગ ચાંપી પીધી હતી જેથી ફરિયાદીને ખેતપેદાશનું નુકસાન થયેલ છે જેથી અંદાજે 65 થી 70 હજારનું નુકસાન થયું હોવાની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

