બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન


SHARE











વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન

વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામે યુવાને પોતાની વાડીમાં મગફળીનો પાલો અને જારની કડબના ઢગલો રાખ્યો હતો જે ઢગલામાં તે જ ગામની અંદર રહેતા એક શખ્સે આગ ચાપી દીધી હતી જેથી ખેત પેદાશનો માલ બનીને ખાખ થઈ ગયો હતો જેથી કરીને અંદાજે 65 થી 70 હજાર રૂપિયાનું યુવાનને નુકસાન થયેલ હોય ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા અને ખેતીકામ તથા કરિયાણાની દુકાન ચલાવતા એજાજઅહેમદ ઈસ્માઈલભાઈ માથાકિયા (34)એ હાલમાં રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાલાભાઇ સારલા રહે. મોટા ભોજપરા તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ભોજપરા ગામે પાદરમાં આવેલી તેની વાડીએ ફરિયાદીએ મગફળીનો પાલો તથા જારની કડબના ઢગલા મૂક્યા હતા તેમાં આરોપીએ કોઈ કારણોસર આગ ચાંપી પીધી હતી જેથી ફરિયાદીને ખેતપેદાશનું નુકસાન થયેલ છે જેથી અંદાજે 65 થી 70 હજારનું નુકસાન થયું હોવાની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News