મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી


SHARE













અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી

એરઈન્ડિયાનું બોઇંગ વિમાન નંબર એ૧/૧૭૧ ઉડાન ભર્યાની એક મિનીટમાં જ અમદાવાદમાં તુટી પડયુ.આ પ્લેન અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ કરીને લંડનના ગેરવિક એરપોર્ટ માટે રવાના થયું હતું.આ ઘટના ખુબ જ ભયંકર અને દુખદ હોય ઘટનામાં અવશાન પામેલ પુર્લ સીએમ સહીત તમામ દિવગંત આત્માઓને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવીને ગંભીરપણે દાઝેલા લોકો ત્વરિત સ્વસ્થ થાય તેવી ઈશ્વર પાસે અભ્યર્થના વ્યકત કરી હતી.

તેમજ પૂર્વ મંત્રી બ્રિજશભાઇ મેરજાએ પણ શ્રધ્ધાંજલી વ્યકત કરી જણાવ્યું હતુ કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અકાળે જીવનદીપ બુઝાવાથી મેં ભારે મોટો આંચકો અનુભવ્યો છે.અમોએ સાથે વિદ્યાર્થી પરિષદમાં કામ કરેલું ત્યારથી પાંગરેલો પરિચય આત્મીયતા ભર્યો રહેલો.તેમના નિધનથી ગુજરાતના જાહેર જીવનમાં ન પુરાય તેવી ખોટ પડી છે, એટલું જ નહીં અનેક કાર્યકર્તાઓ સાથેના તેમના સંબંધોમાં એક ખાલીપો ઉભો થયો છે.તે વણપુરાયેલો રહેશે, તેઓ હકારાત્મક રાજનીતિના પુરસ્કર્તા હતા, પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.વધુમાં બ્રિજેશ મેરજાએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીને તેમના પરિવારને સાંત્વના પણ પાઠવેલ છે.

તેમજ અહીંના યંગ ઇન્ડીયા ગૃપના દેવેનભાઇ રબારીએ પણ આ ઘટનામાં અવશાન પામેલ તમામને શ્રધ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતુ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અકાળ અવસાનથી સમગ્ર ગુજરાત શોકમગ્ન છે.તેમનું સમર્પિત જનસેવાનું જીવન, નેતૃત્વની અનોખી શૈલી અને રાજકીય ક્ષેત્રે આપેલું અમૂલ્ય યોગદાન ગુજરાતના ઇતિહાસમાં સદાય સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.મોરબી સાથે તેમનો નાતો ગાઢ રહ્યો છે.તેમણે મોરબીના વિકાસ અને સમૃદ્ધિ માટે હંમેશાં પોતાનું હૃદય અને મન સમર્પિત કર્યું હતું.ખાસ કરીને, યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાતા "શિવ તરંગ" મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તેમની વિશેષ ઉપસ્થિતિ અને આશીર્વાદ હંમેશાં યાદગાર રહેશે.આ ઉપરાંત, શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત તૃત્ય સમૂહ લગ્નના પ્રસંગે સ્વર્ગસ્થ વિજયભાઈએ રબારી સમાજને શુભકામનાઓ પાઠવી હતી. યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિઓને પણ સ્વર્ગસ્થ વિજયભાઈએ હંમેશાં બિરદાવી હતી.






Latest News