મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા પરિવારના બાળકનું ગળામાં દુખાવો થતો હોય સારવાર દરમ્યાન મોત


SHARE











વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા પરિવારના બાળકનું ગળામાં દુખાવો થતો હોય સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પરિવારના બાળકને ગળામાં દુખાવો પડતા તેને સારવાર માટે પ્રથમ મકનસર અને ત્યારબાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા ફરજ પરના ડોક્ટર તે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલા તાલુકાના લાખણકા ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્કોવેર સેનેટરી નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ મંગાભાઈ સોલંકીના 15 વર્ષના દીકરા રાકેશભાઈ રાજુભાઈ સોલંકીને ગત તા. 6/6 ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ગળામાં દુખાવો થતો હોવાથી તેને મકાનસર ગામ પાસે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી દવા લઈને ઘરે જતાં રહ્યા હતા અને ત્યારબાદ બીજા દિવસે સવારે તેને દુખાવો થતો હોવાથી મોરબીની શ્યામ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તે બાળકને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News