મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે 'હરિત યોગ' કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે 'હરિત યોગ' કાર્યક્રમ યોજાયો
ઘરે સહેલાઈથી ઉછેરી શકાય તેવા ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી અંતર્ગત મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘હરિત યોગ’ કાર્યક્રમ યોજાયો હતો.મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરીયાના નિદર્શનમાં ગત તા.૫-૬-૨૫ ના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તેમજ ‘૧૧ માં વિશ્વ યોગ દિવસ-૨૫’ના કાઉન્ટડાઉન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતોને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ કરાવવામાં આવ્યા હતા. ‘હરિત યોગ’ અંતર્ગત ધરે સહેલાઈથી ઉછેરી શકાય તેવા ગુડૂચી, પાનફૂટી જેવા ઔષધીય રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનું સંચાલન આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો.જીજ્ઞેશ બોરસાણિયા, ડો.ખ્યાતિ ઠકરાર તથા ડો.વિરેન ઢેઢી દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ ઈન્સ્ટ્રકર મહેશ્વરીબેન દલસાણીયા અને દીલીપભાઈ કણજારીયા દ્વારા યોગ નિર્દશન કરવામાં આવ્યું હતું.






Latest News