મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જુગારની રેડ બાદ 51 લાખનો તોડ કરવાના ગુનામાં પકડાયેલ પીઆઇ ગોહિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE















મોરબી જીલ્લામાં જુગારની રેડ બાદ 51 લાખનો તોડ કરવાના ગુનામાં પકડાયેલ પીઆઇ ગોહિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

ટંકારાના લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડ બાદ કરવામાં આવેલ 51 લાખ રૂપિયાના તોડના ગુનામાં તત્કાલીક્ન પીઆઇની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે આજે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીએ કરેલ તોડની રકમની રિકવરી સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવાના સહિતની બાબતે જુગાર રમતા પકડાયેલ શખ્સો પાસેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો જે અંગેની ઉચ્ચકક્ષાએ કરવામાં આવેલ રજૂઆતો બાદ આ અંગેની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી અને તે તપાસના અંતે પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયેલ હતો જેમાં મહિપતસિંહ સોલંકીને અગાઉ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં પીઆઇ વાય.કે.ગોહિલની આદિપુરથી ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તપાસનીસ અધિકારી ડીવાયએસપી વી.વી.રબારીએ 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે તેને મોરબીની કોર્ટમાં રજૂ કરેલ ત્યારે સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કેટલા દિવસથી આરોપી ફરાર હતો ?

ઉલેખનીય છે કે, ગત ડિસેમ્બર માહિનામાં એસએમસીના અધિકારી પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવેલ હતી જો કે, તે મળી નહીં આવતા આરોપી પીઆઇ લાંબા સમયથી ફરાર હોય તેને 30 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે કોર્ટે આદેશ કર્યો હતો જો કે, તે સમય મર્યાદામાં ત્યાં હાજર થયેલ ન હતા અને એસએમસીની ટીમે ચોકકસ બાતમીના આધારે આદિપુર ખાતે તેના ઘરેથી જ તેની ધરપકડ કરેલ છે.

કયા દિશામાં કરવામાં આવશે તપાસ ?

છેલ્લા 175 દિવસથી નાસતા ફરતા પી.આઈ. વાય.કે. ગોહિલની કચ્છના આદિપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે જો કે, આટલા સમય દરમ્યાન તે કચ્છ અને અમદાવાદ જીલ્લામાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તેને કોને આશરો આપ્યો હતો તે દિશામાં તપાસ કરશે તેમજ તેનું લેપટોપ અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવશે આટલું જ નહીં પરંતુ જુગારની રેડ બાદ કરવામાં આવેલ તોડની રકમ 51 લાખ રૂપિયાની રિકવરી કરવા માટેની પણ કાર્યવાહી તપાસનીસ ડીવાયએસપી વી.વી. રબારી દ્વારા કરવામાં આવશે.

કયા કરવામાં આવી હતી રેડ ?
ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 12 લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને 63.15 લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને બે ડ્રાઈવર સહિત કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવેલ હતા જેમાં ગોપાલભાઈ રણછોડભાઈ સભાડચીરાગ રસીકભાઈ ધામેચારઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજારવિ મસુખભાઈ પટેલવિમલભાઈ રામજીભાઈ પટેલભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખકુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલશૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાનો સમાવેશ થતો હતો અને રજનીકાંત ભરતભાઈ દેત્રોજા નામના શખ્સને પકડવાનો બાકી બતાવેલ હતો.

પીઆઇએ શું ખોટું કર્યું હતું ?

જે શખ્સો જુગાર રમતા પકડાયેલ હતા તેમાં બે આરોપીના નામ ફરિયાદમાં જાણી જોઈને ખોટા લખવામાં આવેલ હતા તેમજ પ્રેસમાં નામ કે ફોટો નહીં આપવાના તેવું કહીને જુગાર રમતા પકડાયેલા શખ્સો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા. આ અંગેની ગુજરાતના પોલીસ વડા સુધી રજૂઆત પહોચી હતી ત્યાર બાદ તત્કાલિન પીઆઇ અને હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.






Latest News