મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્ય આરોપીઓની શોધખોળ


SHARE















મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્ય આરોપીઓની શોધખોળ

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી યુવાને ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જો કે, યુવાને આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇટ નોટ લખી હતી તેની ખરાઈ કરાવવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ, પત્રકાર સહિત કુલ 11 શખ્સો સામે ગુનો નોંધાયેલ હતો જેમાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ ભીમાણી, રવિભાઈ દેવાભાઈ ડાંગર, પ્રકાશભાઈ મેપાભાઇ પિથામલ, રવિભાઈ રાજેશભાઈ ઝાલરીયા, હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (પોલીસ), કિરીટસિંહ જાડેજા, મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા, ભગીરથસિંહ જનકસિંહ જાડેજા, પ્રશાંતભાઈ ચીખલીયા અને ઋષિભાઈ મહેતા (પત્રકાર) ની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ ગુનાની તપાસ કરી રહેલા આધિકારી દ્વારા આરોપી મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા (53) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News