મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ચોમાસા પહેલા જોખમી મિલકતો તોડવાનું શરૂ: મોરબી મહાપાલિકાનું બુલડોઝર હવે જૂની-જર્જરિત બિલ્ડીંગો ઉપર ફરી વળ્યું


SHARE











ચોમાસા પહેલા જોખમી મિલકતો તોડવાનું શરૂ: મોરબી મહાપાલિકાનું બુલડોઝર હવે જૂની-જર્જરિત બિલ્ડીંગો ઉપર ફરી વળ્યું

સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે સતત વરસાદના કારણે જૂની અને જર્જરિત મિલકતો તૂટી પડે અને જીવલેણ અકસ્માત બને તેવી ઘટનાઓ છેલ્લા વર્ષોમાં બનેલ છે ત્યારે આગામી ચોમાસા દરમિયાન આવી કોઈ ઘટના મોરબી શહેરી વિસ્તારમાં ન બને તે માટે જૂની અને જર્જરિત મિલકતોને મહાપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવા માટેની કામગીરીના શ્રીગણેશ આજથી કરવામાં આવ્યા છે

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ રોડ રસ્તાની સાઈડના નાના મોટા અને કાચા પાકા દબાણો હતા તેને દૂર કરવા માટેની કામગીરી તો છેલ્લા ઘણા મહિનાઓથી પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં હવે ગણતરીના દિવસોમાં ચોમાસું સક્રિય થવાનું છે ત્યારે પહેલા જૂની અને જર્જરિત મિલકતો છે. તેને તોડી પાડવા માટેની કામગીરી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ મહાપાલિકાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ જૂની અને જર્જરિત 26 જેટલી બિલ્ડીંગો આવેલ છે તેને નોટિસો આપવામાં આવી છે અને તે પૈકીની 16 બિલ્ડીંગોના આસામીઓને છેલ્લી નોટિસ પણ આપી દેવામાં આવી હતી તો પણ તેના આસામીઓ દ્વારા જૂની અને જર્જરિત મિલકતોના બાંધકામને દૂર કરવા માટેની સ્તી લેવામાં આવી ન હતી જેથી મહાપાલિકાની ટીમ દ્વારા આજે જૂની અને જર્જરિત મિલકતોને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે આજે મોરબીના વાઘપર વિસ્તારમાં વર્ષો જૂનું બે માળના મકાનને પહેલા તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અરુણોદયનગર, વર્ધમાનનગર, રિલિફનગર સહિતના વિસ્તારોમાં જે જૂની અને જર્જરિત મકાનો છે તેને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવશે તેવી માહિતી કમિશનર સંજય સોની પાસેથી જાણવા મળી હતી.






Latest News