મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE













હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા યુવાનને સાત દીકરીઓ હતી અને થોડા સમય પહેલા જ તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો જો કે, તે દીકરાનો જન્મ અધૂરા મહિને થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાન અને તેનો પરિવાર હરી ઈચ્છા બળવાન એમ માનીને જીવન રાબેતા મુજબ જીવી રહ્યા હતા જો કે, ગઇકાલે યુવાને તેનું મજૂરી કામ પૂરી કરીને પાછો ઘરે આવી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને નાના એવા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું.

હાલમાં મળતી માહિતી મુજબ હળવદના શક્તિનગર ગામે રહેતા ભાવેશભાઈ ભટ્ટ (40) મજૂરી કામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ગઇકાલે સાંજે તે પોતાનું કામ પૂરું કરીને પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું. વધુમાં ગામના લોકો પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ભાવેશભાઇ ભટ્ટને સંતાનમાં 7 દીકરીઓ છે અને 15 દિવસ પહેલા જ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો જેથી ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ દીકરાનો જન્મ અધૂરા મહિને થયો હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારે ભાવેશભાઈ ભટ્ટને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ભટ્ટ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જો કે, છેલ્લા દિવસોથી ભાવેશભાઈ ફરી પાછા રાબેતા મુજબ પોતાનું કામ કરવા લાગ્યા હતા પરંતુ દીકરાના મોતનો આઘાત સહન ન થતાં સોમવારે સાંજના સમયે તેઓ પોતાનું મજૂરી કામ પૂરું કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેમનું મોત નીપજયું હતું અને આ બનાવથી ભટ્ટ પરિવાર તેમજ આખા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું કેમ કે, સાત દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવી છે આજે ભાવેશભાઈની અંતિમક્રિયા કરવામાં આવી હતી ત્યારે તેઓની મોટી દીકરી મિતલ (19)એ મુખાગ્નિ આપીને દીકરા તરીકેની ફરજ પૂરી કરી હતી. 






Latest News