મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE











હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા યુવાનને સાત દીકરીઓ હતી અને થોડા સમય પહેલા જ તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો જો કે, તે દીકરાનો જન્મ અધૂરા મહિને થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાન અને તેનો પરિવાર હરી ઈચ્છા બળવાન એમ માનીને જીવન રાબેતા મુજબ જીવી રહ્યા હતા જો કે, ગઇકાલે યુવાને તેનું મજૂરી કામ પૂરી કરીને પાછો ઘરે આવી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને નાના એવા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું.

હાલમાં મળતી માહિતી મુજબ હળવદના શક્તિનગર ગામે રહેતા ભાવેશભાઈ ભટ્ટ (40) મજૂરી કામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ગઇકાલે સાંજે તે પોતાનું કામ પૂરું કરીને પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું. વધુમાં ગામના લોકો પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ભાવેશભાઇ ભટ્ટને સંતાનમાં 7 દીકરીઓ છે અને 15 દિવસ પહેલા જ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો જેથી ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ દીકરાનો જન્મ અધૂરા મહિને થયો હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારે ભાવેશભાઈ ભટ્ટને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ભટ્ટ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જો કે, છેલ્લા દિવસોથી ભાવેશભાઈ ફરી પાછા રાબેતા મુજબ પોતાનું કામ કરવા લાગ્યા હતા પરંતુ દીકરાના મોતનો આઘાત સહન ન થતાં સોમવારે સાંજના સમયે તેઓ પોતાનું મજૂરી કામ પૂરું કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેમનું મોત નીપજયું હતું અને આ બનાવથી ભટ્ટ પરિવાર તેમજ આખા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું કેમ કે, સાત દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવી છે આજે ભાવેશભાઈની અંતિમક્રિયા કરવામાં આવી હતી ત્યારે તેઓની મોટી દીકરી મિતલ (19)એ મુખાગ્નિ આપીને દીકરા તરીકેની ફરજ પૂરી કરી હતી. 






Latest News