મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE















મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજામોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે પાણીનો સંપ આવેલ છે. અને તે સંપમાંથી માળીયા, વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતમાં પાઈપલાઈન મારફતે પાણી આપવામાં આવે છે જો કે, વિસ્તારના લોકો માટે પાણી સપ્લાઈની પાઈપલાઈનમાંથી ઉદ્યોગોને અનેક જગ્યાએ ગેરકાયદે કનેકશન આપવામાં આવ્યા હોય લોકોના ઘર સુધી નિયમિત અને પૂરતા પ્રમાણમા પાણી આવતું નથી જેથી લોકોને પાણી માટે હેરાન થવું પડે છે અને કેટલાક વિસ્તારમાં રહેતા લોકોને પાણીના ટેન્કર મંગાવવા પડે તેવી પરિસ્થિતી છે જેથી કરીને માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમા પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News