મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE













મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજામોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે પાણીનો સંપ આવેલ છે. અને તે સંપમાંથી માળીયા, વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતમાં પાઈપલાઈન મારફતે પાણી આપવામાં આવે છે જો કે, વિસ્તારના લોકો માટે પાણી સપ્લાઈની પાઈપલાઈનમાંથી ઉદ્યોગોને અનેક જગ્યાએ ગેરકાયદે કનેકશન આપવામાં આવ્યા હોય લોકોના ઘર સુધી નિયમિત અને પૂરતા પ્રમાણમા પાણી આવતું નથી જેથી લોકોને પાણી માટે હેરાન થવું પડે છે અને કેટલાક વિસ્તારમાં રહેતા લોકોને પાણીના ટેન્કર મંગાવવા પડે તેવી પરિસ્થિતી છે જેથી કરીને માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમા પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News