મોરબી લાતી પ્લોટ પાછળથી 108 બોટલ દારૂ-બિયર પકડાયો, આરોપીની શોધખોળ
મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા
SHARE








મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા
મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે પાણીનો સંપ આવેલ છે. અને તે સંપમાંથી માળીયા, વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતમાં પાઈપલાઈન મારફતે પાણી આપવામાં આવે છે જો કે, આ વિસ્તારના લોકો માટે પાણી સપ્લાઈની પાઈપલાઈનમાંથી ઉદ્યોગોને અનેક જગ્યાએ ગેરકાયદે કનેકશન આપવામાં આવ્યા હોય લોકોના ઘર સુધી નિયમિત અને પૂરતા પ્રમાણમા પાણી આવતું નથી જેથી લોકોને પાણી માટે હેરાન થવું પડે છે અને કેટલાક વિસ્તારમાં રહેતા લોકોને પાણીના ટેન્કર મંગાવવા પડે તેવી પરિસ્થિતી છે જેથી કરીને માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમા પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.

