મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી અને વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી-નો પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ મોરબી મનપા ફાયર વિભાગે હોસ્પિટલ, સ્કૂલ અને હોટલમાં આપી ફાયરની તાલીમ મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં ડીમાન્ડ સર્વે કેમ્પનું આયોજન


SHARE















મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં ડીમાન્ડ સર્વે કેમ્પનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ ૩૦ ચો.મી. થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ ૧,૫૦,૦૦૦ અને રાજ્ય સરકાર દ્વારા રકમ ૨,૫૦,૦૦૦ એમ કુલ મળીને ૪,૦૦,૦૦૦ ની સહાય ૪ (ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે

જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ ૩ ત્રણ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળ પર કેમ્પ (મેળા)ઓનું આયોજન કરવામાં આવે છે.

જે કેમ્પ (મેળા) યોજાશે તેમાં મોરબીમાં સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર (બાળ મંદિર ) ખાતે તા. ૨૬/૦૫/૨૦૨૫, રામદેવ નગર મેઈન રોડ બાળા હનુમાનજી મંદિર આગળ બગીચામા તા. ૨૮/૦૫/૨૦૨૫, સાંઈબાબા મંદિર રણછોડનગર વી.સી.પરામાં તા. ૨૮/૦૫/૨૦૨૫, શક્તિમાં મંદિર શનાળા તા. ૩૦/૦૫/૨૦૨૫ અને દલવાડી સર્કલ, પચીસ વારિયા ખાતે ૩૧/૦૫/૨૦૨૫ ના રોજ યોજાશે જેનો જરૂરિયાતમંદ લોકોને લાભ લેવા મહાપાલિકાન ડેપ્યુટી કમિશ્નરે અનુરોધ કર્યો છે.






Latest News