મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી નજીક આરટીઓ સામે રોંગ સાઈડમાં આવેલ બાઇક કાર સાથે અથડાતા દંપતિ ખંડિત: આધેડનું મોત


SHARE













મોરબી નજીક આરટીઓ સામે રોંગ સાઈડમાં આવેલ બાઇક કાર સાથે અથડાતા દંપતિ ખંડિત: આધેડનું મોત

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા આધેડ તેઓના પત્ની સાથે બાઈક ઉપર મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ આરટીઓ ઓફિસ સામે રોંગ સાઈડમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ બ્રેઝા કાર સાથે તેઓનું બાઈક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં દંપતીને ઇજા થયેલ હતી અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વજેપર શેરી નંબર-9 માં રહેતા ગીતાબેન વાલજીભાઈ ચાવડા (50)એ તેમના પતિ મૃતક વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા (57) ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના પતિના બાઈક નંબર જીજે 3 ડીઇ 1952 માં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આરટીઓ ઓફિસની સામેના ભાગમાં વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા દરમિયાન સામેથી આવી રહેલ બ્રેઝા કાર નંબર જીજે 18 ડીએચ 0008 ની સામે ફરિયાદીના પતિબાઇક અથડાવ્યૂ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ તેના પતિને જમણા પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરનામાનો ભાંગ

હળવદ તાલુકાના સુસાવાવ ગામની સીમ આવેલ વાડીએ કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી અને તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા તેમજ મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી રજીસ્ટર કરેલ ન હતી જેથી પ્રકાશભાઈ ઘોઘાભાઇ શીપરા (31) રહે. નવા સુંદરગઢ તાલુકો હળવદ વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News