મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ


SHARE













વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ ટ્રસ્ટ મોરબી દ્વારા વાંકાનેર જીનપરા વસ્તીમાં મોરબી જિલ્લાનાં 16 માં "શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્ર" નો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ છે અને સેવા વિભાગનાં ચાર આયામોમાંથી એક શિક્ષણ આયામ દ્વારા ઉપેક્ષિત વિસ્તારોમાં વિવિધ સ્તરે બાળકો માટે બાલ સંસ્કાર,પાઠદાન કેન્દ્ર, વાંચનાલય, જોલા પુસ્તકાલય, ચલાવવામાં આવે છે. અહીં કેન્દ્રમાં બાળકો સહાયક શિક્ષણની સાથે શારીરિક, બૌધિક, સામાજિક કુશળતાઓ પ્રાપ્ત કરી એક આદર્શ નાગરિક બનીને ઉભરે એ હેતુ રહેલો હોય છે. કેન્દ્રોનાં સંચાલક બહેનો નું દર માસે બેઠક દ્વારા પ્રશિક્ષણ થાય છે. કાર્યક્રમમાં વાંકાનેર જોગજતિ ઉપનગર સેવા પ્રમુખ સુંદરભાઈ નાવાણી, શિક્ષા સંયોજક  લલિતભાઈ પાન્ડેજી તથા જિલ્લા સેવા પ્રમુખ  લાલજીભાઈ કુનપરા ઉપસ્થિત રહ્યાં હતા અને કેન્દ્રનું સંચાલન વિધિબેન પ્રવિણભાઇ ધરજીયા કરશે.






Latest News