મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ફાટસર-બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યાએ બે યુવાનોએ કર્યો આપઘાત


SHARE













મોરબીના ફાટસર-બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યાબે યુવાનોએ કર્યો આપઘાત

મોરબીના ફાટસર અને બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યા ઉપર બે યુવાનોએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસા ખાઈ લીધા હતા જેથી તે બંને યુવાનોના મોત નિપજ્યાં હતા અને તેઓના મૃતદેહને હોસ્પિટલે લઈ આવીને આપઘાતના આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના ડીંન્ગી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઈ ગાવડ (40) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે. ફાટસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ હિંમત ગ્લેઝ ટાઇલ્સ નામના કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અંકુશકુમાર રાજેશકુમાર (21) નામના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હસમુખભાઈ ગોરધનભાઈ ગામી (45) રહે. નવા બસ સ્ટેશન સામે ક્રિષ્ના સોસાયટી સરદારબાગ પાછળ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News