મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE















મોરબીના બગથળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના બગથળા ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ગામ પાસે આવેલ મંદિર નજીક તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામે રહેતો મયુરભાઈ ભીખાભાઈ સરવૈયા (33) નામનો યુવાન બગથળા ગામ પાસે આવેલ ગથળીયા મંદિર નજીક પાણીના તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના પિતા ભીખાભાઈ પરસોતમભાઈ સરવૈયા (56) રહે. બગથળા વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોકધામ મંદિર પાસે રહેતા વિજયાબેન સવજીભાઈ (77) નામના વૃદ્ધાને કોઈ અજાણ્યા બાઇક ચાલકે ઠોકર મારતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સગીરાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતી પૂજાબેન દિનેશભાઈ આકરીયા (17) નામની સગીરાએ કોઈ કારણોસર ખળ બાળવાની ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સગીરાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.






Latest News