સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સંપન્ન


SHARE











મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સંપન્ન

મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કા વળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે રાહતદરે દવાખાનું, દવા ફ્રી ગાયો ને દરરોજ પચાસ મણ લીલું ઘાસ,દર મહિને પક્ષીઓ માટે દશ મન ચણ, દર રવિવાર, મંગળવારે સવા મણ લાપસી,ગુંદી ગાંઠિયાનો પ્રસાદ,દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન વગેરે સેવાકીય પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે એ મુજબ નવલખી રોડ પર આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં સર્વ જ્ઞાતિના એકવીસ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા,તમામ વરરાજાઓનું કર્તવ્ય જીવ દયા બેન્ડ પાર્ટી દ્વારા વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું,ભુદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરાવી હતી, તમાં કન્યાઓને સોનાના દાગીના સેટી, કબાટ,ખુરશી સહિતની 108 જેટલી વસ્તુઓ કરિયાવરમાં અર્પણ કરવામાં આવી હતી,સમગ્ર કાર્યક્રમ માટે અનેક દાતાઓએ દાન અર્પણ કર્યું હતું, આ કાર્યક્રમને શોભાવવા દામજી ભગત નકલંક ધામ બગથળા, મહંત ભાવેશ્વરીદેવી, જયંતિભાઈ રાજકોટિયા પ્રમુખ જિલ્લા ભાજપ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી પ્રથમ અમૃતિયા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ સંગઠન યુવા મોરચો મિશન નવ ભારત તેમજ રેલવે પી.આઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં,સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવા ઘનુભા જાડેજા પ્રમુખ,વિનુભાઈ ડાંગર ઉપ પ્રમુખ શૈલેષભાઇ જાની ખજાનચી, ધીરુભા જાડેજા મંત્રી, કિશોરભાઈ અગ્રાવત,રમેશભાઈ સાંણદિયા, ભાવેશકુમાર મહેતા નરેન્દ્રસિંહ રાણા,દિગુભા જાડેજા ગજુભા ચુડાસમા વગેરે ટ્રષ્ટિ મંડળ તેમજ તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ,સુચારુ સંચાલન મોરબીના જાણીતા અને માનીતા એન્કર દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News