વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લો બની ગયેલ છે પરંતુ આજની તારીખે અહીથી લાંબા અંતરની ટ્રેન મળતી નથી જેથી અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવે છે તો પણ મુસાફર ટ્રેનની સુવિધામાં વધારો કરવામાં આવતો નથી જેથી અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર પી.પી. જોષીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો ધણા સમયથી બની ગયેલ અને છેલ્લે મહાનગરપાલીકા પણ આપવામાં આવી છે જો કે, પ્રજાની સુવિધામા કોઈ વધારો થયેલ નથી જેમ કે રેલ્વે સુવિધા મોરબીથી કોઈને અમદાવાદ-મુંબઈ જવા માટે સીધી ટ્રેન નથી ફકત વીકલી ટ્રેન ચાલે છે આજની તારીખે મોરબીમાં બીજા રાજ્યના ઘણા લોકો રોજગારી માટે આવે છે ત્યારે તેઓને ટ્રેનની સુવિધા મળે તે માટે પેસેંજર ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે વધુમાં તેમણે જણાવ્યુ  છે કે, અસંખ્ય વેપારીઓ અન્ય રાજયમાં અહીથી કોલસો, મીઠું અને ટાઇલ્સ ટ્રેન મારફતે લઈ જાય છે જેથી કરીને રેલવેને વર્ષે કરોડો રૂપિયાની મોરબીમાંથી આવક થાય છે પરંતુ મુસાફર માટે કોઈ સુવિધા નથી.






Latest News