મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લો બની ગયેલ છે પરંતુ આજની તારીખે અહીથી લાંબા અંતરની ટ્રેન મળતી નથી જેથી અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવે છે તો પણ મુસાફર ટ્રેનની સુવિધામાં વધારો કરવામાં આવતો નથી જેથી અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર પી.પી. જોષીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો ધણા સમયથી બની ગયેલ અને છેલ્લે મહાનગરપાલીકા પણ આપવામાં આવી છે જો કે, પ્રજાની સુવિધામા કોઈ વધારો થયેલ નથી જેમ કે રેલ્વે સુવિધા મોરબીથી કોઈને અમદાવાદ-મુંબઈ જવા માટે સીધી ટ્રેન નથી ફકત વીકલી ટ્રેન ચાલે છે આજની તારીખે મોરબીમાં બીજા રાજ્યના ઘણા લોકો રોજગારી માટે આવે છે ત્યારે તેઓને ટ્રેનની સુવિધા મળે તે માટે પેસેંજર ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે વધુમાં તેમણે જણાવ્યુ  છે કે, અસંખ્ય વેપારીઓ અન્ય રાજયમાં અહીથી કોલસો, મીઠું અને ટાઇલ્સ ટ્રેન મારફતે લઈ જાય છે જેથી કરીને રેલવેને વર્ષે કરોડો રૂપિયાની મોરબીમાંથી આવક થાય છે પરંતુ મુસાફર માટે કોઈ સુવિધા નથી.






Latest News