સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે


SHARE











માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે

માળિયા (મી)ના ખાખરેચી ગામે આગામી તારીખ 15 મેના રોજ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ પધરામણી કરવાના છે જેને લઈને ખાખરેચી ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને તેઓનું ભવ્ય સ્વાગત ગામમાં કરવામાં આવશે તેના માટેની તૈયારી કરવામાં આવી રહી છે.

માળિયા (મી)ના ખાખરેચી ગામના રાજપુત સમાજના દીકરીબા છાયાબા બાબુભા રાઠોડે 6 વર્ષ પહેલા ચેન્નઈમાં પ.પુ. આચાર્ય તીર્થભદ્દ સુરીશ્વર મહારાજ સાહેબ પાસેથી દિક્ષા અંગીકાર કર્યો હતો અને તેઓ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ બન્યા હતા. ત્યારે દિક્ષા અંગીકાર કર્યા બાદ 6 વર્ષ પછી તેઓ પોતાના સાંસારિક વતન ખાખરેચી ગામે આવી રહ્યા છે જેથી ખાખરેચી સંઘ, ગામ તેમજ રાઠોડ પરિવારના લોકો દ્વારા તેમનું ભવ્ય સામૈયું અને સ્વાગત આગામી તા 15/5 ને સવારે 8-30 કલાકે કરવામાં આવશે. અને ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળ બાજુથી સામૈયું શરૂ કરવામાં આવશે. જેમાં ખાખરેચી ગામના ભાઈઓ અને બહેનો સહિતના લોકોને આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News