હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે


SHARE











માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે

માળિયા (મી)ના ખાખરેચી ગામે આગામી તારીખ 15 મેના રોજ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ પધરામણી કરવાના છે જેને લઈને ખાખરેચી ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને તેઓનું ભવ્ય સ્વાગત ગામમાં કરવામાં આવશે તેના માટેની તૈયારી કરવામાં આવી રહી છે.

માળિયા (મી)ના ખાખરેચી ગામના રાજપુત સમાજના દીકરીબા છાયાબા બાબુભા રાઠોડે 6 વર્ષ પહેલા ચેન્નઈમાં પ.પુ. આચાર્ય તીર્થભદ્દ સુરીશ્વર મહારાજ સાહેબ પાસેથી દિક્ષા અંગીકાર કર્યો હતો અને તેઓ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ બન્યા હતા. ત્યારે દિક્ષા અંગીકાર કર્યા બાદ 6 વર્ષ પછી તેઓ પોતાના સાંસારિક વતન ખાખરેચી ગામે આવી રહ્યા છે જેથી ખાખરેચી સંઘ, ગામ તેમજ રાઠોડ પરિવારના લોકો દ્વારા તેમનું ભવ્ય સામૈયું અને સ્વાગત આગામી તા 15/5 ને સવારે 8-30 કલાકે કરવામાં આવશે. અને ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળ બાજુથી સામૈયું શરૂ કરવામાં આવશે. જેમાં ખાખરેચી ગામના ભાઈઓ અને બહેનો સહિતના લોકોને આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News